આ આર્ટીકલમાં અમે સરસ મજાનો અષાઢી બીજ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ashadhi Bij Nibandh ની PDF પણ Download કરી શકશો.
અષાઢી બીજ વિષય પર ગુજરાતી નિબંધ
નીચે આપેલ અષાઢી બીજ વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી થશે.
અષાઢી બીજ
અષાઢી બીજ આવી, રથ યાત્રાનો પાવન દિન,
જગન્નાથ બિરાજે રથમાં, ભક્તોનો ઉમંગ અસીમ.
રથયાત્રાના દિવસે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને ભવ્ય રથોમાં પધરાવીને પુરીની મુખ્ય બજારમાંથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલા ગુંડિચા મંદિરે લઈ જવામાં આવે છે. અહીં તેઓ નવ દિવસ સુધી નિવાસ કરે છે. આ રથો દર વર્ષે નવા બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણપણે કાષ્ટના બનેલા હોય છે.
જગન્નાથજીનો રથ 'નંદીઘોષ' આશરે ૪૫ ફૂટ ઊંચો હોય છે, જ્યારે બલભદ્રના રથનું નામ 'તાલ ધ્વજ' અને સુભદ્રાના રથનું નામ 'પદ્માધ્વજ' છે. રથને દોરડાઓ દ્વારા ખેંચવાનું કાર્ય અત્યંત પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે. નવ દિવસના નિવાસ બાદ, પરત વેળાની યાત્રાને "બહુડા યાત્રા" કહેવાય છે, જેમાં રથો મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ભક્તો "પોડા પીઠા"નો પ્રસાદ લે છે.
આ ધાર્મિક મહત્વ ઉપરાંત, અષાઢી બીજને કચ્છ પ્રદેશના નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈ.સ. ૧૬૦૫માં કચ્છના પ્રથમ મહારાવે અષાઢ મહિનામાં વરસાદને કારણે ચારેબાજુ હરિયાળી ફેલાયેલી જોઈને આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું. ત્યારથી આશરે ૮૬૦ વર્ષથી કચ્છી લોકો આ દિવસને ધામધૂમથી ઉજવે છે. આ દિવસે ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે અને લોકો દીવા-રોશની કરીને, વડીલોના આશીર્વાદ લઈને અને મીઠાઈઓ વહેંચીને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે.
ગુજરાતમાં પણ અમદાવાદ ખાતેની જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, જેમાં હજારો કિલો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિરમાં સામાન્ય રીતે ભારતીય હિન્દુઓ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પરંતુ રથયાત્રાના દિવસે કોઈપણ વ્યક્તિ, નાત-જાતના ભેદભાવ વગર, ભગવાનના દર્શન કરી શકે છે અને રથ ખેંચવાના પવિત્ર કાર્યમાં ભાગ લઈ શકે છે. આ તહેવાર સામાજિક સમાનતા અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે.
ગુજરાતમાં પણ અમદાવાદ ખાતેની જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, જેમાં હજારો કિલો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિરમાં સામાન્ય રીતે ભારતીય હિન્દુઓ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પરંતુ રથયાત્રાના દિવસે કોઈપણ વ્યક્તિ, નાત-જાતના ભેદભાવ વગર, ભગવાનના દર્શન કરી શકે છે અને રથ ખેંચવાના પવિત્ર કાર્યમાં ભાગ લઈ શકે છે. આ તહેવાર સામાજિક સમાનતા અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે.
ભક્તો ને મળવાનો અલગ છે મિજાજ,
મળવા આવ્યો છે આજ મારો જગન્નાથ.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
અષાઢી બીજ નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Ashadhi Bij Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
અષાઢી બીજ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી અષાઢી બીજ નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અષાઢી બીજ વિશે નિબંધ એટલે કે Ashadhi Bij Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!