આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો; એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાગે પાંગળો.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો; એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાગે પાંગળો.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો; એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાગે પાંગળો.
અર્થ :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે, કારણ કે અંધજન પાસે માત્ર એક અંગ અર્થાત્ દષ્ટિ જ હોતી નથી. જ્યારે અજ્ઞાની પાસે બધાં અંગો હોવા છતાં પોતાના અજ્ઞાનને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે.
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે, કારણ કે અંધજન પાસે માત્ર એક અંગ અર્થાત્ દષ્ટિ જ હોતી નથી. જ્યારે અજ્ઞાની પાસે બધાં અંગો હોવા છતાં પોતાના અજ્ઞાનને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે.
સમજૂતી :
આંધળા માણસને અંધાપા સિવાયની કોઈ લાચારી નથી હોતી. તેનું દુઃખ આંખો પૂરતું મર્યાદિત હોય છે. આથી ઘણા અંધજનો જુદાં જુદાં ક્ષેત્રોમાં કુશળતા મેળવીને આનંદપૂર્વક જીવન જીવે છે.સાહિત્ય, સંગીત કે હસ્તકલામાં નિપુણતા મેળવીને તેઓ ખૂબ સારી રીતે પોતાનો જીવનનિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. આમ છતાં તેમનાં અનુપમ કાવ્યોને આજે પણ લોકો યાદ કરે છે. અંધ વ્યક્તિ તો રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે જ્યારે 2 અજ્ઞાની વ્યક્તિ ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે ૨ ખોડ ધરાવે છે, જ્યારે અજ્ઞાનીનાં બધાં જ અંગો પાંગળાં હોય છે.
સારાંશ :
આમ, કવિ કહે છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન 3 કરવો જોઈએ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
