વિચાર વિસ્તાર: વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ...

વિચાર વિસ્તાર: વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન.

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન,
ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન.

અર્થ :
આ પંક્તિઓમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને જરૂર હોય ત્યારે આપણા ઉપયોગમાં આવતાં નથી.

સમજૂતી :
વિદ્યા માનવીને મુશ્કેલીઓમાંથી સાચો રાહ દેખાડે છે; પરંતુ મુશ્કેલી આવે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે પુસ્તકોમાં પાનાં ઉથલાવવા ન બેસાય. વિદ્યા તો આપણી કોઠાસૂઝમાં ઊતરેલી હોવી જોઈએ. એ રીતે આપણું ધન આપણે પારકા પાસે મૂક્યું હોય, પણ મુશ્કેલી 3વખતે કામ ન આવે તો એ ધન શા કામનું? તેથી આપણું ધન આપણી પાસે જ રાખવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે અને છતે પૈસે દુઃખી થવાનો વારો ન આવે.

સારાંશ :
વિદ્યારૂપી ધન હમેશા ગ્રહણ કરવું જોઈએ.આપની સંપતિનું ધ્યાન આપને રાખવું જોઈએ.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.