આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.
અર્થ:અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે.
સમજૂતી:
સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં માણસેનિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પીવા પડે છે તેમજ અથાક અને અસીમ પરિશ્રમ કરવો પડે છે. એટલે જ એક કવિ કહે છે કે : ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે. ‘મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે.
સારાંશ:
પુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળે કે ન મળે, પુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ તો મળે જ છે.
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
