આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'ચહું થાવા હું યે મધુર ખીલતું પુષ્પ નવલું પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'ચહું થાવા હું યે મધુર ખીલતું પુષ્પ નવલું પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
ચહું થાવા હું યે મધુર ખીલતું પુષ્પ નવલું પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું.
અર્થ :આ પંક્તિમાં કવિએ જીવનસાર્થક્યનો મહિમા સમજાવ્યો છે. ભલે જીવન ટૂંકું હોય પણ લોકોપયોગી અને પરમાર્થે જીવવું જોઈએ.
સમજુતી :
તાડનું ઝાડ ખૂબ ઊંચું હોય છે અને તે સેંકડો વર્ષ ટકી રહે છે. પરંતુ તે છાંયડો આપી બીજાની સેવા કરી શકતું નથી. તેથી તેનું જીવન નિરર્થક છે. તાડનું બનવા કરતાં તો હું નાનું ખીલતું પુષ્પ થાઉં તોયે બસ છે. ફૂલનું આયુષ્ય ઘણું ઓછું હોય છે. પુષ્પ થોડો સમય જ છોડ પર રહે છે. પછી તે મુરઝાયને નીચે ખરી પડે છે. તે અલ્પ આયુષ્યમાં પણ આસપાસના વાતાવરણને સુગંધિત કરે છે. લોકોને પ્રસન્નતા આપે છે. ભલે તે થોડા જ સમયમાં ખરી પડે છે. પણ જેટલું જીવન મળ્યું છે એમાં જ જીવનની સાર્થકતા છે, એવો જીવનલક્ષી બોધ આપી જાય છે. ફૂલ એ સુવાસ ફેલાવાનું કાર્ય કરે છે. મનુષ્ય જીવન પણ ફૂલ જેવું જીવીને આપના કાર્ય થકી દુનિયામાં નામ અમર બની શકાય છે.
સારાંશ :
આ દ્વારા કવિ એ સમજાવવા માગે છે કે મનુષ્ય પણ પોતાના જીવનને સાર્થક બનાવવા પરોપકારી અને લોકોપયોગી બનવું જોઈએ. મનુષ્ય કેટલું જીવે છે. એના કરતાં કેવું જીવે છે એ મહત્ત્વનું છે.
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ચહું થાવા હું યે મધુર ખીલતું પુષ્પ નવલું પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
