જો હું કવિ હોઉં તો.. વિષય પર નિબંધ | If I were a Poet Essay in Gujarati

જો હું કવિ હોઉં તો.. વિષય પર નિબંધ | If I were a Poet Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં જો હું કવિ હોઉં તો વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો  જો હું કવિ હોઉં તો વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે If I were a Poet Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

જો હું કવિ હોઉં તો વિશે નિબંધ

અહીં ગુજરાતી જો હું કવિ હોઉં તો વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ જો હું કવિ હોઉં તો વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

જો હું કવિ હોઉં તો વિશે ગુજરાતીમાં નિબંધ 

'જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ', મેં આ પંક્તિ ક્યાંક વાંચી હતી. બસ ત્યારથી મને એક જ વિચાર આવ્યા કરે છે કે જો હું કવિ હોઉં તો ? જ્યાં રવિ એટલે કે સૂર્ય ન પહોંચી શકે ત્યાં પણ હું પહોંચી શકું ખરો? જોકે રવિ હોય કે કવિ, એ જાતે ક્યાંય જતા નથી. સૂર્યનાં કિરણો પૃથ્વીના ખૂણે-ખૂણે પહોંચે છે અને કવિની ખ્યાતિ દૂરદૂર સુધી ફેલાય છે.

પ્રાચીનકાળના વ્યાસ-વાલ્મીકિ, કાલિદાસ અને બાણ જેવા મહાકવિઓ અને તેમનાં કાવ્યોને આજે પણ લોકો યાદ કરે છે. મધ્યકાળના કવિ નરસિંહનાં પ્રભાતિયાં અને કવિ પ્રેમાનંદનાં આખ્યાનો ગુજરાતના ગામડેગામડે જાણીતાં છે. 

જ્યારે કવિ દલપતરામ, નર્મદ, કાંત, કલાપી, હાનાલાલ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર, સુન્દરમ્, ઉશનસ્, બાલમુકુંદ દવે, મનોજ ખંડેરિયા, આદિલ મન્સુરી, રમેશ પારેખ જેવા અર્વાચીન કવિઓની કવિતાના પણ અનેક ચાહકો છે.

પુસ્તકો અને સામયિકોમાં છપાયેલી કવિતાઓ જોઈને મને પણ કવિ થવાના કોડ જાગે છે. પોતાની કવિતા ક્યાંક છપાય ત્યારે કવિને કેવી લાગણી થતી હશે? એ કવિતા વાંચીને વાચક કેવી લાગણી અનુભવતો હશે? કવિને રૂબરૂ મળે ત્યારે લોકો કેવા રાજીરાજી થઈ જતા હશે ? કવિઓ વિશે વિચારો કરું ત્યારે મને થાય કે જો હું કવિ હોઉં તો? અને તરત મારી સામે કલ્પનાની દુનિયા ખડી થઈ જાય છે.

રાતોરાત હું જાણે કે રંકમાંથી રાજા બની જાઉં છું. જાણીતાં પુસ્તકો અને સામયિકોમાં મારી કવિતાઓ છપાય છે. મારી કવિતાઓ વાંચીને પ્રભાવિત થયેલા યુવાનો મારા ઑટોગ્રાફ લેવા માટે પડાપડી કરે છે. ઠેરઠેર મારા કાવ્યપાઠના કાર્યક્રમો યોજાય છે. 

હું કાવ્યપાઠ કરું ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની મને સાંભળ્યા કરે છે. કવિતાની પંક્તિએ પંક્તિએ ‘વાહ-વાહ’ના અવાજો અને તાલીઓના ગડગડાટ થયા કરે છે. કાર્યક્રમ પૂરો થયા પછી આયોજકો સન્માન અને પુરસ્કાર આપે છે. રોજ મોંઘી-મોંઘી કારોમાં બેસી હું ઘેર આવું ત્યારે પરિવારના સભ્યો અને પડોશીઓ પણ મને અહોભાવથી જુએ છે.

કવિ થવું એ ખરેખર તો નસીબને આધીન છે. કવિ થઈ શકાય તો આનંદ જરૂર થાય પણ કવિની કામગીરી સહેલી તો નથી જ. સારી કવિતા લખવા માટે ઘણી મહેનત કરવી પડે. ઉત્તમ કવિ બનવા માટે તો કોણ જાણે કેટલોય પરિશ્રમ કરવો પડે ! 

કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. કવિ થવા માટે હાલમાં તો હું માત્ર કલ્પના કરી શકું. પણ એ કલ્પના સાકાર થાય, ત્યાં સુધી તો મારે રાહ જોવી રહી.

જો હું કવિ હોઉં તો નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી If I were a Poet Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જો હું કવિ હોઉં તો નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી  જો હું કવિ હોઉં તો ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં  જો હું કવિ હોઉં તો વિશે નિબંધ એટલે કે If I were a Poet Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.