શું તમે ગુજરાતીમાં નેત્રદાનઃ મહાદાન વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો નેત્રદાનઃ મહાદાન વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Eye Donation Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
નેત્રદાનઃ મહાદાન વિશે નિબંધ
અહીં ગુજરાતી નેત્રદાનઃ મહાદાન વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ નેત્રદાનઃ મહાદાન વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
નેત્રદાનઃ મહાદાન વિશે ગુજરાતીમાં નિબંધ
જેને હાથ અથવા પગ ન હોય, તેને માટે કૃત્રિમ હાથ અને પગ મળી રહે છે. આંશિક બહેરાશ ધરાવતા લોકો માટે શ્રવણયંત્ર મળે છે. પણ નેત્રહીન વ્યક્તિને જોવામાં મદદરૂપ થઈ શકે એવા કોઈ સાધનની શોધ હજુ થઈ શકી નથી. એટલે કે આંખનો વિકલ્પ માત્ર આંખ છે, બીજું કશું જ નહીં.
થોડાં વર્ષો પહેલાં નેત્રહીન વ્યક્તિઓ ભગવાનને ભરોસે જીવતા હતા. પરિવાર માટે તેઓ બોજારૂપ મનાતા હતા. પણ હવે નેત્રહીનોના પુનવસ માટે ઘણી સંસ્થાઓ કામ કરે છે. જે તેમને ગીત-સંગીત અને હસ્તકલાની તાલીમ આપે છે અને રોજી પણ આપે છે. તેથી નેત્રહીન વ્યક્તિ તેની જરૂરિયાત જેટલા પૈસા કમાઈ શકે છે. આમ છતાં તેના જીવનમાં અધૂરપ રહે છે. સૃષ્ટિના સૌંદર્યને આંખથી જોવાનો, જાણવાનો અને માણવાનો અનેરો આનંદ છે.
નેત્રહીન વ્યક્તિ આવા આનંદથી વંચિત રહી જાય છે. આથી નેત્રહીન લોકોને દેખતા કરવા માટે ‘આઈ-બૅન્ક’ની સ્થાપના કરવામાં આવી છે.
નેત્રદાન કરવા માગતી કોઈ પણ વ્યક્તિ તેમાં નામ નોંધાવી શકે છે. આઈ-બૅન્કમાં નોંધાયેલા નેત્રદાતાના મૃત્યુ બાદ તેનાં નેત્રોનું બે નેત્રહીન વ્યક્તિઓના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. એક નેત્રદાતા આવી રીતે બે નેત્રહીન વ્યક્તિઓને દષ્ટિ આપી શકે છે.
રક્તદાન વડે કોઈને જીવન આપી શકાય છે, જ્યારે નેત્રદાન વડે જીવનને માણવા માટે દષ્ટિ આપી શકાય છે , જીવન દરમિયાન રક્તદાન અગત્યનું છે તે જીવન બાદ નેત્રદાન પણ એટલું જ મહત્ત્વનું છે.
આઈ-બૅન્કની પાસે નેત્રહીન વ્યક્તિઓની ખૂબ લાંબી યાદી છે. એક નેત્રદાતાનું મૃત્યુ થાય ત્યારે માત્ર બે વ્યક્તિઓને દષ્ટિ આપી શકાય છે. બાકીના નેત્રહીન વ્યક્તિઓએ ઇંતેજાર કરવો પડે છે. ઘણી વાર આમ જ તેમની જિંદગી પણ પૂરી થઈ જાય છે પણ તેમને દષ્ટિ આપી શકાતી નથી.
નેત્રહીનોને દૃષ્ટિ આપવા માટે નેત્રદાન જ એકમાત્ર ઉપાય છે. જુનવાણી વિચારોને લીધે આપણા દેશમાં નેત્રદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. તેની સામે નેત્રહીન લોકોની સંખ્યા ઘણી વધારે છે. આપણે સૌ નેત્રદાનનો સંકલ્પ કરીશું તો ઘણા નેત્રહીનોના જીવનમાં રોશની થશે.
આઈ-બૅન્કની પાસે નેત્રહીન વ્યક્તિઓની ખૂબ લાંબી યાદી છે. એક નેત્રદાતાનું મૃત્યુ થાય ત્યારે માત્ર બે વ્યક્તિઓને દષ્ટિ આપી શકાય છે. બાકીના નેત્રહીન વ્યક્તિઓએ ઇંતેજાર કરવો પડે છે. ઘણી વાર આમ જ તેમની જિંદગી પણ પૂરી થઈ જાય છે પણ તેમને દષ્ટિ આપી શકાતી નથી.
નેત્રહીનોને દૃષ્ટિ આપવા માટે નેત્રદાન જ એકમાત્ર ઉપાય છે. જુનવાણી વિચારોને લીધે આપણા દેશમાં નેત્રદાનનું પ્રમાણ ઘણું ઓછું છે. તેની સામે નેત્રહીન લોકોની સંખ્યા ઘણી વધારે છે. આપણે સૌ નેત્રદાનનો સંકલ્પ કરીશું તો ઘણા નેત્રહીનોના જીવનમાં રોશની થશે.
નેત્રદાનઃ મહાદાન નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Eye Donation Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
નેત્રદાનઃ મહાદાન નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી નેત્રદાનઃ મહાદાન ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નેત્રદાનઃ મહાદાન વિશે નિબંધ એટલે કે Eye Donation Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!