શું તમે ગુજરાતીમાં નદીતટે સંધ્યા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો નદીતટે સંધ્યા વિશે ગુજરાતી
નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Rivers Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
નદી | નદીતટે સંધ્યા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી નદીતટે સંધ્યા વિશે બે નિબંધ રજુ કાર્ય છે
જે 200 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ નદીતટે સંધ્યા વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
નદીકિનારે સાંજ વિષે ગુજરાતીમાં નિબંધ
- પ્રસ્તાવના
- નદીકિનારાનું પ્રાકૃતિક સૌંદર્ય અને
- માનવી પર તેની અસર
- ઉપસંહાર
સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે રાતો-નારંગી સૂરજ, ચોતરફ પ્રસરેલા એના રંગો
સાથે નદીમાં નહાય છે ત્યારે નદીનાં જળ જાણે રંગીન થઈ ઊઠે છે. વળાંક લઈને
વહેતી નદીના કાંઠે સવાર અને સાંજનાં
મનોહર
દશ્યોને આંખમાં જ નહિ, હૃદયમાં ભરી લેવાનું મન થઈ આવે છે. આથી જ સવારે તથા
સાંજે નદીકાંઠે માનવીઓ ઊભરાય છે. એમાંયે સાંજે તો નવરાશ હોવાથી નદીકાંઠે
માનવીઓની ઠઠ જામે છે.
સાંજે સૂર્ય ભલે થાકેલો લાગતો હોય; પરંતુ તે પોતાનું કામ પૂરું કર્યા પછીના
સંતોષ અને ગૌરવ સાથે અસ્ત થઈ રહ્યો હોય તેવો પ્રસન્ન જણાય છે. સાંજે નદીની
રેતીમાં બાળકો રમે છે. તેઓ રેતીનાં ઘર અને મંદિર બનાવે છે . કેટલાક લોકો
નદીમાં નહાય છે તો કેટલાક પાણીમાં પગ બોળીને તેની ઠંડક માણે છે. કેટલાક
લોકો એકબીજા પર પાણી છાંટીને મોજમસ્તી કરે છે. સમી સાંજે ઢોરોનાં ધણ
નદીકિનારે થોભી પાણી પીએ છે. નદીકાંઠે આવેલા મંદિરમાં થતો ઘંટારવ વાતાવરણને
પવિત્ર બનાવે છે.
પાણી પર થઈને વહેતા ઠંડા પવનની મંદ મંદ લહેરો મીઠી મધુરી લાગે છે. દૂર
દૂરથી નદીના તટ તરફ આવતી હોડીઓ સુંદર દેખાય છે.
સાંજને સમયે અંધારામાં ભાવિક ભક્તો પાંદડાંના નાનામોટા પડિયામાં દીવા
પેટાવીને નદીમાં તરતા મૂકે છે. આછા અંધારામાં ઝગમગતી જ્યોતનાં દર્શન આંખને
ઠારે છે. આમ, દિવસના કામકાજથી થાકેલો અને કંટાળેલો માનવી નદીને કિનારે આવી
અપૂર્વ તાજગીનો અનુભવ કરે છે.
નદીકિનારાના મોહક પ્રાકૃતિક સૌંદર્યનું પાન કરતાં આપણું મન કદી ધરાતું નથી.
સમી સાંજે માળામાં પાછાં ફરી રહેલાં પંખીઓનો કલરવ આપણા મનને મધુરતાથી ભરી
દે છે. સંધ્યાનું આ સૌંદર્ય માનવના મનમાં હંમેશને માટે સચવાઈ રહે છે.
નદીકિનારે
ક્ષિતિજ પર સૂર્ય ડૂબતાંની સાથે ટમટમતા તારલા અને ચંદ્ર પોતાનું તેજ પાથરવા
આકાશમાં આવી પહોંચે છે. લોકો નદીકિનારેથી ઘરે પાછા ફરે છે. એ પછી માણસોનો
કોલાહલ બંધ થતાં પાણીના વહેવાનું સંગીત દૂર દૂર સુધી પ્રસરી રહે છે.
હવે તો નદીકાંઠે ખાણીપીણીની કેટલીયે દુકાનો થઈ ગઈ છે. ફેરિયાઓ પણ
ખાણીપીણીના ખુમચાઓ લઈને હાજર થઈ જાય છે. લોકો આવી બજારુ ચીજો ખાઈને ત્યાં જ
ગંદકી કરે છે. આને લીધે નદીની આસપાસનું વાતાવરણ દૂષિત થાય છે.
અહીં નીચે બટન પર ક્લિક કરી Rivers Nibandh in Gujarati ની ફ્રી
pdf Download કરી શકો છો.
નદીતટે સંધ્યા નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી નદીતટે સંધ્યા ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ
શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નાનદીતટે સંધ્યા વિશે નિબંધ એટલે કે Rivers Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન
કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ
કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી
અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા
મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!